Monday, 18 June 2018

બાળમેળાની ઉજવણી તા-૧૮-૦૬-૨૦૧૮



બાળમેળો

                  સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષણોત્તર સહભ્યાસિક પ્રવુત્તિઓ હાથ ધરી છે. તેના અનુસંધાને બાળકોના સર્વાંગી વિકાસના હેતુથી જીલ્લા અને તાલીમ ભવન મારફતે બાળમેળાનું આયોજન થાય છે. જેને આયોજન મુજબ અમારી પ્રાથમિક શાળા જરગાલમાં બાળમેળા ની ઉજવણી કરી જેમાં એસ.એમ.સી. ના અધ્યક્ષ શ્રી ,સભ્યશ્રીઓ ગામ ના સરપંચ શ્રી તથા ગ્રામજનોની હાજરીમાંબાળમેળા ની શુભ શરૂઆત કરવામાં આવી . બાળકો ખુબ ઉત્સાહથી તેયાર થઈને આવ્યા હતા. જેમાં અગાઉ જણાવેલ પ્રવૃત્તિઓથી અને બાળમેળાના હેતુ થી બાળકોને વાકેફ કરેલ હતા. આ અંતર્ગત પ્રવુત્તિઓ:-

  • ચિત્રકામ,
  • રંગપુરણી ,
  • છાપકામ,
  • કોલાઝ્વર્ક,
  • સર્જનાત્મક,
  • કાર્ટૂન-ફિલ્મ,
  • માટી કામ.
            બાળમેળો એ ભાગ લેનાર બાળકો માટેની આનંદયાત્રા છે. તથા તેના સર્વાંગી વિકાસ માટેનો અવસર છે. એનાથી બાળકના મનમાં વિકાસ માટેની અલગ-અલગ દિશા ખૂલે છે. જે તેના ભવિષ્ય માટે તેના મનમાં કશાકનું આપણ કરી જાય છે. આ બીજારોપણ ભવિષ્યમાં વૃક્ષ બની પાંગરે છે.
           બાળમેળા એ તો બાળકોને અભિવયકિત થવાનો કાર્યક્રમ છે. બાળકોમાં પડેલી સુષુપ્ત શકિતઓને જાગૃત કરવાનો કાર્યક્રમ છે. બાળકોમાં આત્મશ્રધ્ધા અને આત્મવિશ્વાસ પ્રેરવાથી કાર્યશીલતા સંતોષાય છે. સામૂહિક ભાવના વિકસે છે. વિચાર શકિત વિકસે છે. તેમનામાં મૂલ્યોનું ધડતર થાય છે અને અત્મવિશ્વાસ વધે છે. આ પ્રકારના બાળમેળા જીસીઇઆરટી દ્વારા ગુજરાત રાજયની તમામ સરકારી પ્રાથમિક શાળામાં યોજાય છે. પરિણામે નાંમાકન, સ્થાયી કરણ અને ગુણવત્તા સુધારણા વધવા પામી છે.
બાળમેળાનો હેતુ

બાળકોની ક્રિયાશીલતાને પોષાય

બાળકોની જિજ્ઞાશા જાગૃત થાય

બાળકોની સામૂહિક ભાવના વિકસે

બાળકોની સર્જનવૃત્તિ સંતોષાય

બાળકોની વિચારશકિત વિકસે

બાળકો અંતઃતૃપ્તિ અનુભવે

બાળકોનો આત્મવિશ્વાસ વધે

બાળકોને અભિવ્યકત થવાની તક મળે

વ્યવસ્થા, શિસ્ત, સમયપાલન, ચોકસાઇ, સ્વચ્છતા જેવા ગુણો વિકસે

બાળમેળાની પ્રવૃત્તિ

ગીત - સંગીત - અભિનય

બાલરમત

બાલવાર્તા

બાલનાટક

માટીકામ

છાપકામ














પ્રા.શાળા જરગાલ





























No comments:

Post a Comment